Ad Code

Ticker

3/recent/ticker-posts

અટલ પેન્શન યોજના

 અટલ પેન્શન યોજના સંપૂર્ણ માહિતી 
અટલ પેન્શન યોજના

અટલ પેંશન યોજનાનો લાભ કોને મળે 

આ અટલ પેંશન યોજના નો લાભ ૧૮ થી ૪૦ વર્ષના બધા જ ભારતીય નાગરિકોને લાભ મળે . બચત ખાતું હોવું જરૂરી . 

અટલ પેંશન યોજનામાં કેટલો લાભ મળે 

લાભાર્થીને નિયત કરેલ એટલે કે તેમણે પસંદ કરેલ પેન્શન પ્લાન પ્રમાણે ૬૦ વર્ષની ઉંમર બાદ રૂા .૧૦૦૦ , રૂ।.૨૦૦૦ , રૂ।.૩૦૦૦ , રૂ।.૪૦૦૦ અથવા રૂા .૫૦૦૦ જે પસંદ કરેલ હોય તે રકમ દર માસે આજીવન મળે . 

લાભાર્થીના મૃત્યુ બાદ તેમના જીવનસાથીને તેટલી જ રકમનું પેન્શન દર માસે આજીવન મળશે . 

બન્નેના અવસાન બાદ તેમાં જમા રહેલ રકમ વ્યાજ સહિત બધી રકમ તેમના વારસદારને મળી જશે . 

કુટુંબને વધારે લાભ થાય તે માટે પતિ - પત્ની બન્ને અલગ - અલગ પેન્શન પ્લાન લઇ શકે છે . 

પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

અટલ પેંશન યોજનાની શરતો 

લાભાર્થીએ દર મહિને નક્કી કરેલ યોગદાન અવશ્ય આપવું પડે . 

ટૂંકમાં દર માસે નિયમિત રીતે નિયમ કરેલ રકમ ભરવી પડે . 

આ માટે સ્ટેન્ડીંગ ઇન્સ્ટ્રક્શન દ્વારા લાભાર્થીના બચત ખાતામાંથી ઓટોમેટીક રકમ કપાવી શકાય છે જે સરળ રહે છે . . . 

આ યોજના હેઠળ ફક્ત એ વ્યક્તિનું એક જ ખાતું ખુલી શકે . 

૬૦ વર્ષ પહેલા જો લાભાર્થીનું અવસાન થાય તો આ ખાતું બંધ કરી શકાય છે . 

અથવા તેમના જીવનસાથી ખાતું ચાલુ રાખી શકાય છે .

અટલ પેન્શન યોજનાનો લાભ ક્યાંથી મળે 

જાહેર ક્ષેત્રની બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં રજિસ્ટ્રેશન થઇ શકે છે . 

અટલ પેંશન યોજના માટે કયા ક્યા પુરાવા જોઇએ : 

બચત ખાતાની પાસબુક . 

રજિસ્ટ્રેશન ફોર્મ . .