Ad Code

Ticker

3/recent/ticker-posts

કસ્તુરબા પોષણ સહાય યોજના

કસ્તુરબા પોષણ સહાય યોજના
કસ્તુરબા પોષણ સહાય યોજના

કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ કોને મળે . 

શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ ( ત્રણ બાળકો સુધીની પ્રસૂતિ માટે ) • જે જિલ્લાઓમાં ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના લાગુ પાડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે . 

કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ ક્યાંથી મળે . 

નજીકના સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે . નાણાં સીધા લાભાર્થીના બેંક ખાતામાં / પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે . 

કસ્તુરબા પોષણ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ 

લાભાર્થીએ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એફ.એચ.ડબલ્યુ પાસે નોંધણી કરાવવાથી પ્રથમ હપ્તો મળવાપાત્ર થશે . 

ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવા પાત્ર થશે . 

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદના ૯ માસ પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવા પાત્ર થશે . 

કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત સહાય / લાભ . 

સગર્ભાવસ્થામાં , પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂા .૨૦૦૦ / - ની સહાય . . 

સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂા .૨૦૦૦ / - ની સહાય . . 

બાળકની માતાને પોષણ સહાયરૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ।.૨૦૦૦ / -ની સહાય . • 

આમ , કુલ મળી રૂા .૬૦૦૦ / - ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે .