Ad Code

Ticker

3/recent/ticker-posts

બાલસખા યોજના

બાલસખા યોજના 

બાલસખા યોજના

બાલસખા યોજનાનો લાભ કોને મળે . 

આ બાલસખા યોજનામાં ગરીબી રેખા હેઠળના ( બી.પી.એલ. કાર્ડ ધરાવતી ) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જનજાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે . 

બાલસખા યોજનાનો લાભ ક્યાથી મળે . 

જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબો પાસે . 

બાલસખા યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ . 

જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય , તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર છે . કોઇપણ આરોગ્ય કર્મચારી / આશા દ્વારા તે રીફર થયેલ હોવા જોઇએ . 

ઇ શ્રમ કાર્ડ યોજના : સંપૂર્ણ માહિતી

બાલસખા યોજના અંતર્ગત સહાય / લાભ 

આ યોજના હેઠળ લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે . બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ।.૨૦૦ / - લેખે વાઉચર ઉપર સહી લઇને તુરંત જ ચુકવી આપશે .