Ticker

3/recent/ticker-posts

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના

 સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના વિશે માહિતી

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય કોને લાભ મળે 

અનુસૂચિત જાતિના અરજદારોને સ્વજનના મરણ સમયે કફન કાઠી સહાય પેટે આ યોજનાનો લાભ મેળવી શકાય છે . 

આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ।.૧,૫૦,૦૦૦ / - તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦ / - છે . તેમજ આ યોજના અંતર્ગત લાભાર્થી છ માસની અંદર અરજી કરવાની રહે છે . 

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ ક્યાંથી મળે . . . 

નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ ( શહેરી વિસ્તાર માટે ) . જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , જિલ્લા પંચાયત ( ગ્રામ્ય વિસ્તાર માટે ) . સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી , ( સંબંધિત તાલુકામાં ) સહાય માટે અરજી કરી શકે છે .

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાયમાં કેટલો લાભ મળે . 

સીધા વારસદારને રૂા .૫૦૦૦ / -ઇ - પેમેન્ટ સ્વરૂપે સહાય ચૂકવવામાં આવે છે . 

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનામાં કયા કયા પુરાવાઓ જોઇએ 

  • જાતિનો દાખલો , 
  • આવકનો દાખલો , 
  • બેંક પાસબુકની નકલ , 
  • રેશનકાર્ડ , 
  • મરણનો દાખલો , 
  • આધારકાર્ડ . .
    સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના વિશે માહિતી

કુંવરબાઇ મામેરું યોજના અહીં ક્લિક કરો
સાત ફેરા સમૂહ લગ્ન યોજના અહીં ક્લિક કરો
આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના અહીં ક્લિક કરો
ડો આંબેડકર આવાસ યોજના અહીં ક્લિક કરો