Ad Code

Ticker

3/recent/ticker-posts

સૂર્યકૂકર યોજના

 સૂર્યકૂકર યોજના વિશે સંપૂર્ણ માહિતી

શું છે સુર્ય કુકર યોજના 

જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશનમાં નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે રસોઈમાં, બેકરી ઉદ્યોગમાં કે જમવાના પદાર્થો રાંધવા માટે પેટી જેવા કે ડીશ જેવા સૂર્યકૂકર વધુને વધુ પ્રમાણમાં વપરાતા થાય વીજળીનો ઉપયોગ ઓછો થાય તે માટે પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે.

સુર્ય કુકર યોજના નો હેતુ 

  1. સૂર્યની ગરમીથી વ્યક્તિ કે સમાજ ને જરૂરિયાત પૂરી કરવાની વ્યવસ્થા ખૂબ સરળ અને ઉપયોગી બની શકે તેમ છે, એ બાબતે લોકજાગૃતિ કેળવવી.
  2. આવા હેતુ માટેના સાધનો ઉપયોગકર્તા ઓને સરળતાથી પૂરા પાડતું બજાર ઊભું કરવું.
  3. સૂર્ય ઉર્જાના રાંધવા કે બેકરીને જરૂરી સાધનોનું નિર્માણ કરતાં એકમોને સરળતાથી કરી આપવી અને આવા સાધનોની માંગ ઊભી કરવી.
  4. સૂર્યકૂકર વપરાશ કે ઉત્પાદન સંબંધી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું એ માટેના સીમ્પોઝીયમ-સેમીનાર યોજવા, સાધનોના નિર્માણ અને વપરાશ તથા એના સમારકામ માટે કુશળ કારીગરો તૈયાર કરવા, એમને તાલીમ આપવી અને રોજગારી ઊભી કરવી.
અન્ય યોનાઓ વિશે જાણો
જનધન યોજના 

સુર્ય કુકર યોજના નો વિસ્તાર 

વીજળીથી સ્વતંત્ર રહીને સૂર્યકૂકરનો ઉપયોગ કરનારાઓની સંખ્યા વધારવા  માટે જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશન એક કાર્યક્રમના રૂપ તરીકે આખા દેશમાં અમલમાં મૂકાશે. રાજ્યોની માંગણી ના અનુસંધાને લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે. કોઈપણ સાઈઝનું કૂકર હોય. એને , ગમે તેટલી સંખ્યા હોય, તે તમામને લોકો આ યોજનાનો લાભ અપાશે. શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આ સુર્ય કુકર યોજના સમાન રીતે લાગું કરાશે.

આ સુર્ય કુકર યોજના નો અમલ કઈ રીતે થશે?

આ યોજના અંતર્ગત ઘણી બધી એજન્સીઓ જોડાશે. અને રાજ્ય સરકારની એજન્સીઓ કે વિભાગો, સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડયા, અન્ય સહયોગીઓ થશે જાહેર ક્ષેત્રના એકમો, સરકારી સંસ્થાઓ, પંચાયત કે કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નાબાર્ડ-ઈરેડા-એન.એચ.બી જેવી નાણાં સંસ્થાઓ પણ સહકાર આપશે તે રીતે આ સુર્ય કુકર યોજના નો અમલ કરવા માં આવશે.

સુર્ય કુકર યોજના કઈ રીતે ફંડ આપશે.

ભારત સરકારના ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા રસોઈ માટેના સૌર સાધનો ખરીદવા થયેલ ખર્ચ સામે આંશિક વળતર રૂપે અપાતી સબસીડી સંસ્થાઓના માધ્યમથી લાભાર્થીઓને આપવામાં આવશે ડાયરેક બેંક એકાઉન્ટ માં. સેન્ટ્રલ ફંડિંગ એન્જસી (CFA) દ્વારા ૩૦% સુધીના નાના રાજ્ય સરકારોની નોડલ એજન્સીઓને એડવાન્સ રૂપે આપામાંઆવેછે. સબસીડીની રકમ કાર્યક્રમમાં જોડાયેલ એજન્સીઓને ચૂકવવામાં આવશે અને સુર્ય સાધનની બાકીની કિંમત વપરાશકર્તા લાભાર્થીએ આપવાની રહેશે. આ સુર્ય કુકર યોજના માં આ એજન્સીઓ નિર્ધારિત ફોર્મમાં લાભાર્થીને સબસીડી ચૂકવી આપી છે, એ બાબતના દસ્તાવેજો ભારત સરકારના ઉર્જા મંત્રાલયને મોકલી અપાશે.

સૂર્યકૂકર યોજના વિશે સંપૂર્ણ માહિતી