Ad Code

Ticker

3/recent/ticker-posts

બાળ સંજીવની કેન્દ્ર ( NRC ) યોજના

બાળ સંજીવની કેન્દ્ર ( NRC ) – જિલ્લા કક્ષાએ 

બાળ સંજીવની કેન્દ્ર ( NRC )  યોજના

બાળ સંજીવની યોજના લાભ કોને મળે 

૫ વર્ષ સુધીના ગામના અતિ કુપોષિત બાળકો માટે આ યોજના છે.

બાળ સંજીવની યોજનાનો લાભ ક્યાંથી મળે 

આ બાળ સંજીવની કેન્દ્ર યોજનાનો લાભ બાળવિકાસ અને પોષણ કેન્દ્ર રાજકોટ , સિવિલ હોસ્પિટલ , કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાંથી મળશે . 

યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ 

માઇક્રોપ્લાનીંગ દ્વારા ગ્રામ્ય મિટીંગ અને મમતા દિવસે વજન કરેલા ૬ થી ૫ વર્ષના બાળકોમાં ઓછું વજન ધરાવતા અને લાલ ઝોનમાં આવતા અતિ કુપોષિત બાળકોને બાળ સંજીવની કેન્દ્ર ( NRC ) પર રીફર કરવામાં આવે છે . 

બાળ સંજીવની યોજના અંતર્ગત સહાય / લાભ 

ગામના અતિ કુપોષિત બાળકોને આ કેન્દ્રમાં દાખલ કરી ૨૧ દિવસ સુધી તબીબી સારવાર તેમજ પોષણયુક્ત સંભાળ આપવામાં આવે છે . 

ઇ શ્રમ કાર્ડ યોજના : અહીં ક્લિક કરો

નવજાત શિશુ અને બાળ પોષણ પદ્ધતિઓ તથા ઓછા ખર્ચે બાળકો માટે પોષણયુક્ત આહાર કેવી રીતે બનાવવો તેના વિશે માતાને શિક્ષણ આપવામાં આવે છે . .. 

માતાને Hygiene અને Hand Wash બાબતે જાણકારી આપવામાં આવે છે . . બાળકનું NRC માંથી રજા આપ્યા બાદ ૧૫ માં , ૩૦ માં અને ૬૦ દિવસે ફોલોઅપ માટે બોલાવવામાં આવે છે . 

જ્યાં તેઓનું ગ્રોથ મોનીટરીંગ કરવામાં આવે છે . બાળકને કેન્દ્ર પર રીફર કરવા માટે આંગણવાડી કાર્યકર અથવા આશા બહેનને મોટીવેશન ચાર્જ તરીકે રૂા .૧૦૦ / - આપવામાં આવે છે . 

અટલ સ્નેહ યોજના : અહીં ક્લિક કરો

તેમજ બાળકો જો NRC પર રજા આપ્યાના ૧૫ માં , ૩૦ માં , ૪૫ માં અને ૬૦ માં દિવસે ફોલોઅપ વિઝીટ પૂરી કરે ત્યારે બાળક દીઠ રૂ।.૧૦૦ / - આપવામાં આવે છે . બાળકની માતાને Wage Loss તરીકે રૂ।.૧૦૦ / - પ્રતિ દિન ૨૧ દિવસ સુધી ચૂકવવામાં આવે છે .